Disable Copy Paste

સોમવાર, 30 નવેમ્બર, 2020

પિંડે સો બ્રહ્માંડે : આધ્યાત્મિક દૃષ્ટિએ શાસ્ત્રોમાં માનવશરીરનું વર્ણન : શરીરમ્ આદ્ય ખલુ ધર્મ સાધનમ્

 પિંડે સો બ્રહ્માંડે : આધ્યાત્મિક દૃષ્ટિએ શાસ્ત્રોમાં માનવશરીરનું વર્ણન : શરીરમ્ આદ્ય ખલુ ધર્મ સાધનમ્

 Dasi Jivan Saheb

 

DASI JIVAN SAHEB

૧. પંચ મહાભૂત : પૃથ્વી, પાણી, પવન, પ્રકાશ, આકાશ ; પાંચ જ્ઞાાનેન્દ્રિય :- આંખ, કાન, નાક, જીભ,ત્વચા,પાંચ કર્મેન્દ્રિય:- હાથ, પગ, ગુદા, લિંગ, વાણી, પાંચ તન્માત્રા : શબ્દ સ્પર્શ, રૂપ, રસ ગંધ; ચાર અંત:કરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્મા- આમ શરીર ૨૫ તત્ત્વોનું બનેલું છે.


૨. મળ, મૂત્ર, વાછૂર, વીર્ય, ભૂખ, તરસ, હાસ્ય, રૂદન, ઊંઘ, ઊલટી, ઉધરસ, છીંક, બગાસુ- આ શરીરના ૧૩ (તેર) કુદરતી આવેગો છે.


૩. આંખ -૨, નાક- ૨, કાન-૨, મુખ, લિંગ અને ગુદા- કુલ ૯ (નવ) દ્વારવાળી આ શરીરની નગરી છે.


૪. આધિ (માનસિક પીડા): વ્યાધિ (શારીરિક પીડા)ઉપાધિ (દૈવિક પીડા) આ શરીરનાં મુખ્ય ત્રણ દુ:ખો છે.


૫. સમગ્ર વિશ્વમાં સાડા સાત અબજની વસતિ છે પણ તમામે તમામના અંગૂઠાનું નિશાન એક સરખું કોઈની સાથે મળતું આવતું નથી.


૬. એક દિવસમાં શરીર ૨૧,૬૦૦ શ્વાસ લેવા- છોડવાની પ્રક્રિયા કરે છે.

૭. શરીરમાં શ્વાસ લેવાની ક્રિયાને પૂરક, શ્વાસ રોકવાની ક્રિયાને કુંભક અને શ્વાસ છોડવાની યૌગિક પ્રક્રિયાને રેચક કહેવામાં આવે છે.

૮. શાસ્ત્રોમાં કામ (વાસના), ક્રોધ (ગુસ્સો) લોભ (લાલચ), મોહ, મદ( અહંકાર- અભિમાન) અને મત્સર (ઇર્ષ્યા- અદેખાઈ) આ છ ને શરીરના શત્રુ કહેવામાં આવ્યા છે. જેનો દરેકે ત્યાગ કરવાનો છે.

૯. સત્ય, અહિંસા, દયા, તપ, અચૌર્ય અને અપરિગ્રહને શાસ્ત્રોમાં આ માનવશરીરના પરમમિત્રો કહ્યા છે જેનું દરેકે આચરણ કરવાનું છે.

૧૦. શ્રીમદ્ ભગવદ્ગીતાની દૃષ્ટિએ સમગ્ર સૃષ્ટિમાં સત્ત્વ, રજ અને તમ- આ ત્રણ ગુણથી કોઈ શરીર બાકાત રહેતું નથી.

૧૧. ઇડા, પિંગલા અને સુષુમ્ણા- આ શરીરની ત્રણ મુખ્ય નાડીઓ છે.

૧૨. આ શરીરની વાત, પિત્ત અને કફ- એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ છે.

૧૩. શરીરના ચાર પુરુષાર્થ છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.

૧૪. જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત અને તુરીય- એ શરીરની ૪ (ચાર) અવસ્થા છે.

૧૫. પરા,પશ્યન્તિ, મધ્યમા અને વૈખરી- ચાર પ્રકારની વાણી જીભથી બોલાય છે.

૧૬. શરીરની ચાર અવસ્થા બાળક, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ.

૧૭. પંચકર્મથી આ શરીરની શુદ્ધિ થઈ શકે છે, જેમાં વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણનો સમાવેશ થાય છે.

૧૮. શરીરમાં ગુદા પાસે મૂલાધાર; લિંગ પાસે સ્વાધિષ્ઠાન, નાભિ પાસે મણિપુર, હૃદય પાસે અનાહત, કંઠ પાસે વિશુદ્ધિ અને લલાટે આજ્ઞાાચક્ર એમ છ ચક્રોનો ઉલ્લેખ કુંડલિની જાગૃત કરવા યોગશાસ્ત્રમાં છે.

૧૯. આપણું શરીર જીભ દ્વાર તીખો, તૂરો, ખાટો, ખારો, કડવો, ગળ્યો એમ છ પ્રકારના સ્વાદનો અનુભવ કરી શકે છે.

૨૦. ચાવીને, ચાટીને, ચૂસીને અને ગળી જઈને- એમ ચાર પ્રકારનાં ભોજન મુખ દ્વારા આ શરીર કરી શકે છે.

૨૧. ગીતામાં જણાવ્યા અનુસાર કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ, અને ક્ષમાની પ્રકૃતિ સ્વરૂપે દરેક શરીરમાં શ્રીકૃષ્ણભગવાન વ્યાપ્ત છે.

૨૨. જેમાં શરીરના આઠ અંગો સક્રિય થઈ પ્રણામ થાય છે તેને અષ્ટાંગ પ્રણામ કહે છે. જેમ કે : છાતી, માથું, દૃષ્ટિ, મન, વચન, હાથ, પગ અને ઢીંચણ.

૨૩. આ શરીર વિવિધ અંગો દ્વારા શૃંગાર, કરૂણ, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્દભુત, શાંત- એમ નવ રસનો અનુભવ કરી શકે છે.

૨૪. આ શરીરમાંથી જુદા જુદા અવયવો દ્વારા નીચે મુજબના મેલનો નિકાલ થાય છે : મળ, મૂત્ર, પરસેવો, ગૂંગાં, કફ, પરૂ, ચીપડા, કાનનો મેલ, જીભ પરની છારી, વગેરે.

૨૫. આત્માના કલ્યાણ માટે નવધા ભક્તિ (શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, દાસત્ત્વ, સખા, યાદસેવન અને આત્મ નિવેદન) દ્વારા આ શરીર પરમાત્માની પ્રાપ્તિ કરવા- મોક્ષ મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે.

વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીર રચનાનું વર્ણન : ૐ અમર પ્યાલો સતસંગ ધારા ૐ

૧. આપણાં બે ફેફસામાં કુલ ચાર અબજ વાયુકોષો છે.

૨. બન્ને ફેફસામાં મળી નાની નાની કુલ અઢી કરોડ શ્વાસવાહિનીઓ છે.

૩. બન્ને ફેફસાંની રક્તવાહિનીઓની કુલ લંબાઈ ૧૬૦૦ - સોળસો કિ.મી. થાય છે.

૪. એકી શ્વાસે માણસ ફેફસામાં ૪ (ચાર) લિટર હવા ભરી શકે છે.

૫. ૨૪ કલાકમાં માણસનું હૃદય ૧,૦૩,૬૮૦ વખત ધબકે છે.

૬. પુખ્ત વયના માણસના હૃદયનું વજન ૩૦૦ ગ્રામ હોય છે.

૭. હૃદયની લંબાઈ ૧૩ સે.મી; પહોળાઈ ૯ સે.મી અને જાડાઈ ૬ સે.મી. હોય છે.

૮. હૃદયની પમ્પીંગ વખતે લોહીને ૩૦ (ત્રીસ) ફૂટ દૂર ફેંકી શકે છે.

૯. એક મિનિટમાં પાંચ લિટર લેખે ચોવીસ કલાકમાં ૭૨૦૦ લિટર લિ.લોહી હૃદય પમ્પીંગ કરે છે.

૧૦. ફક્ત નાડી તપાસી આયુર્વેદ ૩૮ (આડત્રીસ) રોગોનું નિદાન કરી શકે છે.

૧૧. રાત્રે હૃદયના ધબકારા ૫૫ અને દિવસે ૭૨ હોય છે.

૧૨. પગના અંગુઠાથી માથા સુધી દોઢ લાખ રક્તવાહિનીઓ છે.

૧૩. આ રક્તવાહિનીઓને એક જ લીટીમાં ગોઠવો તો લંબાઈ ૬૦,૦૦૦ કિ.મી. થાય છે.

૧૪. પુખ્ત વયની વ્યકિતમાં કુલ : ૭( સાત) લિટર લોહી હોય છે.

૧૫. લોહીના રક્તકણોને આખા શરીરમાં ફરતાં માત્ર ૨૦ (વીસ) સેકન્ડ લાગે છે.

૧૬. આપણે એક મિનિટમાં ૨૫૦ સ્.ન્ પ્રાણવાયુ લઈ ૨૦૦ સ્.ન્ અંગાર વાયુ એવા છોડીએ છીએ.

૧૭. શરીરના તમામ રક્તકણો સીધી લીટીમાં ગોઠવતાં લંબાઈ ૩૩૦૦ દ્બ.સ્ થાય.

૧૮. બંને કીડનીમાં મળી કુલ :૨૦ (વીસ) લાખ ઉત્સર્ગ એકમો કાર્યરત હોય છે.

૧૯. એક કીડનીમાં અઢી લાખથી નવ લાખ નલિકાઓ (નેફ્રોન) હોય છે.

૨૦. બન્ને કીડનીઓ મળી એક દિવસમાં ૧૫૦૦ (પંદરસો) લિટર લોહી શુદ્ધ કરે છે.

૨૧. શરીરના નાના આંતરડાની લંબાઈ ૨૫ (પચીસ) ફૂટ હોય છે.

૨૨. મોટા આંતરડાની લંબાઈ ૬(છ) ફૂટ હોય છે.

૨૩. મુખ થી ગુદાસુધી ખોરાક કુલ ૩૫ (પાંત્રીસ) ફૂટની ક્રિયાઓમાંથી પસાર થાય છે.

૨૪. માણસની હોજરીમાં એક સાથે ૪ (ચાર) કિલો ખોરાક સમાઈ શકે છે.

૨૫. નવજાત શિશુમાં ૩૧૦ હાડકાં અને યુવાનીમાં કુલ ૨૦૬ હાડકાં હોય છે.

૨૬. મનુષ્યના બે હાથમાં કુલ ૨૭ હાડકાં છે.

૨૭. મનુષ્યના માથાની ખોપરી ૨૨ હાડકાંથી જોડાયેલી છે.

૨૮. પરસેવાના નિકાલ માટે આખા શરીરમાં પાંચ કરોડ પ્રસ્વેદ ગ્રંથિઓ છે.

૨૯. શરીરમાં સ્નાયુઓની કુલ સંખ્યા ૭૦૦ (સાતસો) છે.

૩૦. એક ચોરસ ફૂટ ચામડીમાં પંદરસો છીદ્રો હોય છે.

૩૧. માણસ જ્યારે બોલે છે ત્યારે એક સાથે ૭૨ સ્નાયુઓ સક્રિય હોય છે.

૩૨. માણસ ક્રોધ- ગુસ્સો કરે ત્યારે ૧૨૮ સ્નાયુઓ ઉપર સીધી અસર થાય છે.

૩૩. મોટા મગજનું વજન આશરે દોઢ કિલો હોય છે.

૩૪. નાના અને મોટા મગજમાં મળી કુલ સો (૧૦૦) અબજ કોષો હોય છે.

૩૫. સ્વાદ પરખવા જીભ ઉપર ૩૦૦૦ (ત્રણ હજાર) સ્વાદગ્રંથિઓ છે.

૩૬. જીભ ઉપરના સ્વાદ કેન્દ્રો દર દસ દિવસે નવા બને છે.

૩૭. માણસની આંખો ૨૪(ચોવીસ) કલાકમાં ૧૪,૪૦૦ વખત પલકારા મારે છે.

૩૮. એક મિનિટના ૧૫ શ્વાસ લેખે ૨૪ કલાકમાં આપણે ૨૧૬૦૦ શ્વાસ લઈએ છીએ.

૩૯. ૨૪ કલાકમાં શરીરમાંથી નવ છિદ્રો દ્વારા પાંચ કિલો કચરાનો નિકાલ થાય છે.

૪૦. માણસને એક દિવસમાં ૧૩(તેર) ઘનમીટર શુધ્ધ હવાની જરૂર પડે છે.

૪૧. ૮ (આઠ) કલાકની ઊંઘમાં માણસ ૩૫ (પાંત્રીસ) વખત પડખાં બદલે છે.

૪૨. પિનિયલ, હાઈપોથેલેમસ, પિચ્યુટરી, થાઈરોડ, સ્વાદુપિંડ, એડ્રીનલ, શુક્રપિંડ, અંડપિંડ ૮ ગ્રંથિઓ છે.

૪૩. શરીરમાં ૭૮ અંગો બે અક્ષરનાં છે જેમ કે હાથ, પગ, આંખ, કાન વગેરે.

૪૪. આંખ- કાન- નાકનાં ૬ દ્વાર, મુખ, લિંગ, ગુદામળી કુલ ૯(નવ) દ્વાર છે.

૪૫. શ્વસન- ઉત્સર્ગ- પાચન- રૂધિરાભિષણ- જ્ઞાન= પાંચ તંત્રો શરીર ચલાવે છે.

૪૬. આંખની પાંપણો દર ૬૪ (ચોસઠ) દિવસે નવી ફૂટે છે.

૪૭. પ્રકાશનું વિશ્લેષણ કરવા આંખોમાં ૭૦ (સિત્તેર) લાખ રીસેપ્ટર હોય છે.

૪૮. આંખનો કોર્નિયા એક માત્ર અંગ છે જેમાંથી એક પણ રક્તવાહિની નથી.

૪૯. આંખો દ્વારા માણસ કુલ ૨૦૦૦ (બે હજાર)થી વધુ રંગો ઓળખી શકે છે.

૫૦. હોજરીનું અંદરનું આવરણ (પડ) દર ૧૦ (દસ) દિવસે નવું બને છે.

૫૧. માણસના આખા શરીરમાં કુલ ૬૦,૦૦૦ અબજ કોષો છે.

૫૨. આખા શરીરના જ્ઞાનતંતુઓની લંબાઈ ૭૨ (બોત્તેર) કિ.મી.ની થાય છે.

૫૩. આપણા શરીરમાં ૨/૩ ભાગમાં પાણી છે.

૫૪. શરીરનું સામાન્ય તાપમાન ૯૮.૪ ફેરનહીટ હોય છે.

૫૫. સૌથી ઓછું માઈનસ- ૨૦ અને વધુ ૫૫ ડીગ્રી(ઠંડી- ગરમી) તાપમાન શરીર સહન કરી શકે છે.

૫૬. આપણા શ્વાસ- ઉચ્છ્વાસનો અવાજ ૧૦( દસ) ડેસિબલ હોય છે.

૫૭. બાળકને ૧૦૦, યુવાનને-૩૫૦૦, પ્રૌઢને- ૨૦૦૦ અને સ્ત્રીને ૧૮૦૦ કેલેરીની જરૂર પડે છે.

૫૮. આખા જીવનમાં (૨૦થી ૫૫ વર્ષ) માણસ-૧૨૦ વખત રકતદાન કરી શકે છે.

૫૯. ૧૦૦ વર્ષની જિંદગીમાં માણસ ૩૩ વર્ષ ઊંઘવામાં જ વીતાવે છે.

૬૦. જીવન દરમિયાન માણસ પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી થાય તેટલું ચાલે છે.

🙏જય ગુરુ મહારાજ🙏
✍️ Hasmukh Babaria
✍️હસમુખ મનુભાઈ બાબરીયા

તું સિંહ છે ? કે ઘેટાં બકરો છે?

 તું સિંહ છે ? કે ઘેટાં બકરો છે?


સિંહનું દૃષ્ટાંત

🐑🐐🦁🦁

બકરાંને ચરાવવાવાળા કોઈ એક ( ભરવાડ ) હતો . તે અરણ્યમાંની પર્વતની ગુફામાં તરતનાં જન્મેલાં નવાં સિંહનાં બે બચ્ચાં માંથી એક બચ્ચાને પોતાને ઘેર લાવ્યા અને તેને નિત્ય દૂધ પાઈને મોટું કર્યું . તે બચ્ચુ દરરોજ બકરાંના ટોળા સાથે અરણ્યમાં ફરવા જાય અને આખો દિવસ બકરાં સાથે ફરે , દોડે , બેસે , પાણી પીએ અને સાયંકાળ થાય ત્યારે બકરાંના ટોળા સાથે જ ઘેર પાછું આવે ; એટલે ભરવાડ ( બકરાંને ચરાવનાર પુરુષ ) તેને બકરાંના વાડામાં બકરા સાથે જ પૂરી રાખે . એવી રીતે તે સિંહના બચ્ચાને રાત્રિ દિવસ બકરાંના સંગથી પોતાનું સિંહસ્વરૂપ ભુલાઈ ‘ હું બકરો છું ' એવું દૃઢ અજ્ઞાન થયું અને તેને ભરવાડ પણ સર્વદા બકરે કહી બોલાવવા લાગ્યો. કોઈ દિવસ પણ તું સિંહ છે ' એમ કહે નહિ . એમ નિત્ય બકરાં સાથે આવતાં જતાં ઘણા દિવસ થયા ; તેથી તે સિંહને બકરાંનું મિથ્યા જ્ઞાન દ્રઢ થયું .

તે પછી વનમાં એક દિવસ બકરાંના ટોળા સાથે તે સિંહ ઊભો હતો , તેવામાં પર્વતમાંથી એક બીજો સિંહ નીકળે , તેણે બકરાંના ટોળામાં પેલા સિંહને જોયો ; તેથી આશ્ચર્ય પામી તેણે મોટી જોરદાર ગર્જના કરી . તે સાંભળી બકરાં સર્વ નાસી જવા લાગ્યો , તેની સાથે તે બકરાંનો સંગી સિંહ પણ નાસવા લાગ્યો . તે જોઈને પર્વતના સિંહે તેને બૂમ પાડી કહ્યું :
“ હે ભાઈબંધ ! ઊભો રહે . મારે તને એક વાત કહેવી છે . ' ત્યારે બકરાને પેલો સંગી સિંહ ઊભો રહ્યો.

==========ભ્રમની નિવૃત્તિ ==========

ત્યાર પછી તે પર્વતના સિંહ તેની પાસે આવી કહે છે : ' હે ભાઈ ! તું સિંહ થઈને બકરાંના ટોળા માં કેમ રહે છે ? ' ત્યારે તે બકરાંના સંગી સિંહરષ કરી બોલ્યા : હું ' તે સિંહ નથી , તું સિંહ હા , તો ભલે હા , હું તો બકરો છું . મને એવી જુઠી વાત બતાવવી નહી તું સિંહ છે ' એ રીતે એનું વિરુદ્ધ કથન સાંભળીને તે પર્વતના સિંહના મનમાં વિચાર છે: જે દિવસથી આ જન્મયો છે , ત્યારથી જ તેને બકરાંને સંગ થયો છે અને તેને વનમાં સાથે ફેરવનાર
ભરવાડ પણ બકરો જ કહીને બોલાવે છે ; તેથી જ તેને ‘ હું બકરો છું ” એવું મિથ્યા જ્ઞાન દૃઢ થયું છે . તે મિથ્યા જ્ઞાન મારે ઉપદેશ થી મટાડવું. એમ વિચારીને , પર્વતના સિંહ પેલા બકરાના અધ્યાસવાળા સિંહને કહે છેઃ “ હે ભાઈ ! તું વિચાર કરીને જો તો ખરો. તે બકરાં તો સર્વ નાનાં છે ને તું તો મોટે છે; ‘ હું મોટો બકરો છું.

' એમ સાંભળી આ સિહ કહે છે : ભાઈ ! તું ફરીથી વિચાર કરી જો અને મારી સામું જો, હું પોતે સિંહ છું . મારાં લક્ષણ સર્વ તારી સાથે મળે છે . તે બકરાઓનું લક્ષણ એક પણ તારી સાથે મળતું નથી . કેમ કે જો બકરાંને ચારે પગમાં બે બે ખરી છે પરંતુ તારા તથા મારા પગમાં પાંચ પાંચ નખ છે, તેથી તારું લક્ષણ બકરાં સાથે મળતું નથી. વળી સાંભળ ! બકરાંનું નાનું પૂછડું ' વાયા કરે છે અને તારું તથા મારું પૂછડું લાંબું છે, તેથી પણ તું બકરો નથી. ' જયારે એવી રીતે અનુભવ કરાવ્યો, ત્યારે તે અજ્ઞાન સિંહને કાંઈક વિશ્વાસ આવ્યો, ને તે કહેવા લાગ્યા : ‘ તું વાત કહે છે તે સાચી જણાય છે😳, પણ મારું મન માનતું નથી . ' ત્યારે તે પર્વતના સિંહે પેલા અજ્ઞ સિંહને , નજીક એક તળાવ હતું તેના કિનારે ઊભા રાખી પાણીમાં મોઢુ જેવા કહ્યું અને તે બેલ્યો : જે , તારું ' , મુખ અને મારું મુખ સરખું છે ને બકરાંનું મુખ તે લાંબું છે . તારા જેવું ગોળ નથી . તારી ડોક લીસી છે અને બકરાંની ડોકમાં બે આંચળ છે , તારી કેડ ( કટી ) , વાળ , કાન તથા તારા શરીરનો વર્ણ બકરાંની સાથે મળતો નથી . તે બકરાંને શિંગડાં છે , ને તને શિંગડાં નથી ; માટે તું વિચારી જો, કે બકરાંનું એક પણ લક્ષણ તારા માં છે નહિ અને મારાં ( સિંહનાં ) બધાં લક્ષણો તારામાં છે ત્યારે તું સિંહ શા માટે નહિ ! અને સિંહ છે છતાં ‘ હું બકરો છું એમ તેં માન્યું છે, તેનું કારણ એ છે કે જન્મથી જ તને બકરાંનો તથા ભરવાડ નો સંગ રહ્યો છે; તેથી ખોટું અભિમાન થયું છે .
હવે તું ' હું બકરો છું ' એવું અભિમાન મૂકીને “ હું સિંહ છું એમ નિશ્ચય કર. એ વાત સાંભળી , વિચાર કરી અને પોતાનાં સિંહ લક્ષણો તપાસી તેણે નિશ્ચય કર્યો કે , હું સિંહ છું . પછી તેણે મનમાં પશ્ચાત્તાપ કર્યો કે આટલા દિવસ સુધી બકરાંના સંબંધથી વ્યર્થ હું બકરો છું એવું માની બંધાયો હતો . હવે કોઈ દિવસ બકરાંને સંગ નહિ કરું પણ એનો નાશ કરીશ . એવો નિશ્ચય કરી તે બકરાંને મૂકીદઈ સિંહ સાથે વિચરવા લાગ્યો.

✍️હસમુખ મનુભાઈ બાબરીયા.
Thu, 26 Nov 2020
10:09 am