તું સિંહ છે ? કે ઘેટાં બકરો છે?
સિંહનું દૃષ્ટાંત
🐑🐐🦁🦁
બકરાંને ચરાવવાવાળા કોઈ એક ( ભરવાડ ) હતો . તે અરણ્યમાંની પર્વતની ગુફામાં તરતનાં જન્મેલાં નવાં સિંહનાં બે બચ્ચાં માંથી એક બચ્ચાને પોતાને ઘેર લાવ્યા અને તેને નિત્ય દૂધ પાઈને મોટું કર્યું . તે બચ્ચુ દરરોજ બકરાંના ટોળા સાથે અરણ્યમાં ફરવા જાય અને આખો દિવસ બકરાં સાથે ફરે , દોડે , બેસે , પાણી પીએ અને સાયંકાળ થાય ત્યારે બકરાંના ટોળા સાથે જ ઘેર પાછું આવે ; એટલે ભરવાડ ( બકરાંને ચરાવનાર પુરુષ ) તેને બકરાંના વાડામાં બકરા સાથે જ પૂરી રાખે . એવી રીતે તે સિંહના બચ્ચાને રાત્રિ દિવસ બકરાંના સંગથી પોતાનું સિંહસ્વરૂપ ભુલાઈ ‘ હું બકરો છું ' એવું દૃઢ અજ્ઞાન થયું અને તેને ભરવાડ પણ સર્વદા બકરે કહી બોલાવવા લાગ્યો. કોઈ દિવસ પણ તું સિંહ છે ' એમ કહે નહિ . એમ નિત્ય બકરાં સાથે આવતાં જતાં ઘણા દિવસ થયા ; તેથી તે સિંહને બકરાંનું મિથ્યા જ્ઞાન દ્રઢ થયું .
તે પછી વનમાં એક દિવસ બકરાંના ટોળા સાથે તે સિંહ ઊભો હતો , તેવામાં પર્વતમાંથી એક બીજો સિંહ નીકળે , તેણે બકરાંના ટોળામાં પેલા સિંહને જોયો ; તેથી આશ્ચર્ય પામી તેણે મોટી જોરદાર ગર્જના કરી . તે સાંભળી બકરાં સર્વ નાસી જવા લાગ્યો , તેની સાથે તે બકરાંનો સંગી સિંહ પણ નાસવા લાગ્યો . તે જોઈને પર્વતના સિંહે તેને બૂમ પાડી કહ્યું :
“ હે ભાઈબંધ ! ઊભો રહે . મારે તને એક વાત કહેવી છે . ' ત્યારે બકરાને પેલો સંગી સિંહ ઊભો રહ્યો.
==========ભ્રમની નિવૃત્તિ ==========
ત્યાર પછી તે પર્વતના સિંહ તેની પાસે આવી કહે છે : ' હે ભાઈ ! તું સિંહ થઈને બકરાંના ટોળા માં કેમ રહે છે ? ' ત્યારે તે બકરાંના સંગી સિંહરષ કરી બોલ્યા : હું ' તે સિંહ નથી , તું સિંહ હા , તો ભલે હા , હું તો બકરો છું . મને એવી જુઠી વાત બતાવવી નહી તું સિંહ છે ' એ રીતે એનું વિરુદ્ધ કથન સાંભળીને તે પર્વતના સિંહના મનમાં વિચાર છે: જે દિવસથી આ જન્મયો છે , ત્યારથી જ તેને બકરાંને સંગ થયો છે અને તેને વનમાં સાથે ફેરવનાર
ભરવાડ પણ બકરો જ કહીને બોલાવે છે ; તેથી જ તેને ‘ હું બકરો છું ” એવું મિથ્યા જ્ઞાન દૃઢ થયું છે . તે મિથ્યા જ્ઞાન મારે ઉપદેશ થી મટાડવું. એમ વિચારીને , પર્વતના સિંહ પેલા બકરાના અધ્યાસવાળા સિંહને કહે છેઃ “ હે ભાઈ ! તું વિચાર કરીને જો તો ખરો. તે બકરાં તો સર્વ નાનાં છે ને તું તો મોટે છે; ‘ હું મોટો બકરો છું.
' એમ સાંભળી આ સિહ કહે છે : ભાઈ ! તું ફરીથી વિચાર કરી જો અને મારી સામું જો, હું પોતે સિંહ છું . મારાં લક્ષણ સર્વ તારી સાથે મળે છે . તે બકરાઓનું લક્ષણ એક પણ તારી સાથે મળતું નથી . કેમ કે જો બકરાંને ચારે પગમાં બે બે ખરી છે પરંતુ તારા તથા મારા પગમાં પાંચ પાંચ નખ છે, તેથી તારું લક્ષણ બકરાં સાથે મળતું નથી. વળી સાંભળ ! બકરાંનું નાનું પૂછડું ' વાયા કરે છે અને તારું તથા મારું પૂછડું લાંબું છે, તેથી પણ તું બકરો નથી. ' જયારે એવી રીતે અનુભવ કરાવ્યો, ત્યારે તે અજ્ઞાન સિંહને કાંઈક વિશ્વાસ આવ્યો, ને તે કહેવા લાગ્યા : ‘ તું વાત કહે છે તે સાચી જણાય છે😳, પણ મારું મન માનતું નથી . ' ત્યારે તે પર્વતના સિંહે પેલા અજ્ઞ સિંહને , નજીક એક તળાવ હતું તેના કિનારે ઊભા રાખી પાણીમાં મોઢુ જેવા કહ્યું અને તે બેલ્યો : જે , તારું ' , મુખ અને મારું મુખ સરખું છે ને બકરાંનું મુખ તે લાંબું છે . તારા જેવું ગોળ નથી . તારી ડોક લીસી છે અને બકરાંની ડોકમાં બે આંચળ છે , તારી કેડ ( કટી ) , વાળ , કાન તથા તારા શરીરનો વર્ણ બકરાંની સાથે મળતો નથી . તે બકરાંને શિંગડાં છે , ને તને શિંગડાં નથી ; માટે તું વિચારી જો, કે બકરાંનું એક પણ લક્ષણ તારા માં છે નહિ અને મારાં ( સિંહનાં ) બધાં લક્ષણો તારામાં છે ત્યારે તું સિંહ શા માટે નહિ ! અને સિંહ છે છતાં ‘ હું બકરો છું એમ તેં માન્યું છે, તેનું કારણ એ છે કે જન્મથી જ તને બકરાંનો તથા ભરવાડ નો સંગ રહ્યો છે; તેથી ખોટું અભિમાન થયું છે .
હવે તું ' હું બકરો છું ' એવું અભિમાન મૂકીને “ હું સિંહ છું એમ નિશ્ચય કર. એ વાત સાંભળી , વિચાર કરી અને પોતાનાં સિંહ લક્ષણો તપાસી તેણે નિશ્ચય કર્યો કે , હું સિંહ છું . પછી તેણે મનમાં પશ્ચાત્તાપ કર્યો કે આટલા દિવસ સુધી બકરાંના સંબંધથી વ્યર્થ હું બકરો છું એવું માની બંધાયો હતો . હવે કોઈ દિવસ બકરાંને સંગ નહિ કરું પણ એનો નાશ કરીશ . એવો નિશ્ચય કરી તે બકરાંને મૂકીદઈ સિંહ સાથે વિચરવા લાગ્યો.
✍️હસમુખ મનુભાઈ બાબરીયા.
Thu, 26 Nov 2020
10:09 am
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો