🚩તોળી કહે નીંદક મારા મત મરો,મરો મારા પૂત પારકાના ઉજળા કરેપોતાના સર્જે ભૂત.
🚩

તેમ અહીં એવાજ ભાવથી સતી તોરલ કહે છે કે નીંદક એટલે મારા કુંભાવ જે સતગુરુ એ આપેલું અમર બીજ છે તેને ફળીભૂત કરવા આપણા આ દેહમાં સતનામ બીજ વાવ્યા પછી નીંદવું પડે. કારણ કે હારાની સાથે નઠારી વસ્તુ જોટો હોય પણ જો એ નઠારી વસ્તુને વધવાનો મોકો ન આપીએ તો સતનામ બીજ નુ વૃક્ષ ફાલી ફૂલી શકે. એટલે નીંદક કરનારા જો આપણને નો મળે તો આપણને આપણું સ્વરૂપ ભુલાય જાય અને જાણ પણનું જોર વધી જાય. માટે નિંદા કરનાર ને સદા આપણા મિત્ર માનવા કારણ એજ આપણને નિંદા કરી કરી આપણો કુંભાવ તો દર્શાવેછે અને સાથે હરપળ ભક્તિભાવ અવસ્થા મા રહેવા મદદ રૂપ થાય છે. જો નિંદા ના કરે તો આપણે કદાચ અભિમાન મોહ વિષયો મા પાછા અટવાઈ જાઈ કારણ નીંદક કરનારા નથી. જેમ બળદને પલોટવો હોય તો નાથ નાખવી પડે અને એને ધીરે ધીરે સિલે હાલતા શીખાડવું પડે તેમ આપણી સુરતા હરખી સિલે હાલે માટે આવા હોવા જોઈ. "પછી કહેછે મરો મારા પૂત" તો પૂત કેતા પુત્ર પણ કયો પુત્ર આપણા કરેલા કર્મ જે સારા પણ હોય અને પાપીલા પણ હોય તો જે વ્યક્તિ આપણી નિંદા કરી ને આપણા પાપ ને બાળવામાં મદદ કરે છે. તેને સતી તોળાદે પૂત કેતા પાપ મરો. એમ સમજાવવા માંગે છે અને કહે કે "પારકાના ઉજળા કરે" પારકો કોણ છે અભાગ્યો જીવ જે સધીર શેઠ જેવો જેણે સતિમાથે કુડી નજર કરી અને છતાંય જ્ઞાન અને સત્ય સમજાવી એને પણ સતિમાતા એ ઉજળો બનાવી દીધો અને એમને પણ ભક્તિ માર્ગે વાળી અમર તત્વ ના અધિકારી બનાવ્યા. "પોતાના સર્જે ભૂત" પારકાના ઉજળા અને પોતાના સર્જ્યા ભૂત તો પોતાનું શુ હતું પોતાનું એકજ હતું તે પોતાની ઈચ્છાઓ હતી તેને સતિમાતાયે સતશબ્દ ના સમકા આપીને બાળી નાખ્યા અને ભૂત સર્જ્યા કે એમણે જેસલ જાડેજા, સધીર શેઠ અને સાસથયા કાથી આવા ત્રણ મહાન આત્મા બનાવ્યા. જે અગાવના કર્મ આધારે ચોર્યાસી ના ફેરા ફરત. પણ સતિમાતા ના જ્ઞાન અજવાળે ત્રણેયને તારી લીધા અને પળમાં પીર બનાવ્યા. તો જેટલી આશા અભિલાષા બધી બાળીને સતિમાતા એ પારકાને ઉજળા બનાવ્યા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો